
માંડલ તાલુકાના વનપરડી ગામે યોજાયેલા
કોરોના ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઇ પગલાં લેવાયા નહીં
આ સેવાસેતુમાં વનપરડી, દાલોદ, કુણપુર, વાસણા, વરમોર અને વિંઝુવાડા સહિત છ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે માંડલના વનપરડી ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પણ લોકોની વિવિધ ફરિયાદો સાંભળવા મળી હતી.
તાલુકાના વનપરડી ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં કેટલાક મંચસ્થ મહાનુભાવોએ માસ્ક વગર જ જોવા મળ્યાં હતાં. આ કાર્યક્રમમાં ના તો કોઈ જગ્યાએ સેનીટાઈઝેશન કરવામાં આવ્યું કે તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા કે સામાજિક અંતરનું પાલન કરવાનું સુચન કરાયું નહોતું. બીજી બાજુ દરેક ટેબલો ઉપર અરજદારોની ભીડ પણ જોવા મળી હતી અને કોરોનાની ત્રીજી લહેરને રીતસરનું આમંત્રણ આપવામાં આવી રહ્યું હતું. જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. તેવા સમયે સરકારી કાર્યક્રમોમાં ઉમટતી ભીડ પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. કોરોના ગાઇડલાઇના પાલન જેમની જવાબદારી છે તે અધિકારીઓ જ અને સત્તાધિશો પણ જો નિયમોનું પાલન નહીં કરે તો સામન્ય નાગરિકો પણ તેનું ઉલ્લંઘન કરશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EWEROO
via IFTTT
Post a Comment