આજે CM હાઉસમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે


અમદાવાદ, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર

છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપમાં નિરીક્ષક કક્ષાએ પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને પ્રદેશ ભાજપને પેનલ સાથે રિપોર્ટ સુપરત કરાયો છે. હવે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે જેમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર વાગશે. 

ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી બાદ હવે સતત ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મેરેથોન બેઠકોનો દોર ચાલશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સભ્યો ઉમેદવારોના નામ વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે અને સામાજીક-રાજકીય સમીકરણો ઉપરાંત અન્ય પાસાઓને ધ્યાનમાં રાખી જીતી શકે તેવા ઉમેદવારોના નામ પસંદગી ઉતારશે. ભાજપ મહાનગર પાલિકાના ઉમેદવારો જાહેર કર્યા બાદ જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.

મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવા અઘરૂ બન્યુ છે. આ વખતે ભાજપમાં જાણે સગાવાદ વકર્યો છે.સિટીગ ધારાસભ્યોથી માંડીને સિટીગ કોર્પોરેટરોએ પત્નિ-પુત્રી અને પુત્ર માટે ટીકીટો માંગી છે.

ટીકીટ માટે એડીચોટીનુ જોર લગાવાઇ રહ્યુ છે.અત્યાર સુધી તો પ્રદેશ નેતાઓએ એવો દાવો કર્યો છેકે, રાજકીય વગના જોરે ટીકીટ નહી મળે પણ તેનો અમલ થશે કે કેમ એ સવાલ ઉઠયો છે. અત્યારે તો કોની લોટરી લાગશે અને કોનુ પત્તુ કપાશે તે અંગે કાર્યકરો-નેતાઓની નજર કમલમ પર મંડાઇ છે.

આઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસના સફાયા બાદ ભાજપની ટીકીટ મેળવવા દાવેદારોએ પડાપડી કરી છે કેમ કે, મહાનગરપાલિકામાં ટીકીટ એટલે જીત નક્કી છે તેવુ દાવેદારો રાજકીય ગણિત માંડીને બેઠા છે. ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બેઠક યોજાશે.આ બેઠકના અંતે 4થી ફેબુ્રઆરીએ ભાજપ છ મહાનગર પાલિકાના ઉમેદવારોના નામોની જાહેરાત કરશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j2yiAO
via IFTTT

Post a Comment

أحدث أقدم