
અમદાવાદ, તા. 23 ઓગસ્ટ, 2020, રવિવાર
વર્ષ 1998માં બનાસકાંઠના જિલ્લા પોલીસ વડા તરીકેના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાના કેસની પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વીડિયો કોન્ફરન્સથી ન કરવા પૂર્વ આઇ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં રિટ કરી છે. સંજીવ ભટ્ટે અલગ-અલગ ચાર રિટ કરી સેશન્સ કોર્ટની સુનાવણી મુદ્દે માગણીઓ કરી છે.
સંજીવ ભટ્ટ દ્વારા કરાયેલી રિટમાં મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી છે કે આ કેસના દસ્તાવેજો 500 પાનાંથી પણ વધારે છે. તેથી વીડિયો કોન્ફરન્સથી આ દસ્તાવેજોના આધારે સુનાવણી કરવી શક્ય નથી. તેથી કોર્ટ ફરીથી રાબેતા મુજબ શરૂ થાય ત્યારબાદ જ સુનાવણી હાથ ધરાવી જોઇએ.
જેના વિરોધણાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે અરજદાર ટ્રાયલ પાઠળ ઠેલવા માગે છે તેથી આ પ્રકારની અરજીઓ કરી રહ્યા છે અને કેસની સુનાવણી અત્યારે વીડિયો કોન્ફરન્સથી જ ચાલવી જોઇએ. કોર્ટે સંજીવ ભટ્ટને વધારે દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ કર્યો છે અને કેસની સુનાવણી આગામી અઠવાડિયા પર મુકરર કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CTbfrv
via IFTTT
Post a Comment