તા.9 ઓગષ્ટથી અસારવા-હિંમતનગર ડેમુ ટ્રેન દોડાવાશે

અમદાવાદ,તા.31 જુલાઇ 2021, શનિવાર

તા.૯ ઓગષ્ટથી અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવશે. ટ્રેન નં. ૦૯૪૦૧ તા.૯ ઓગષ્ટથી અસારવાથી  અઠવાડિયાના ૬ દિવસ( શનિવાર સિવાય) દોડાવાશે.

તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૪૦૨ હિંમતનગરથી તા. ૧૦ ઓગષ્ટથી અઠવાડિયાના ૬ દિવસ ( રવિવાર સિવાય)દોડાવવામાં આવશે. આ ડેમુ ટ્રેન શરૂ થતા હિંમતનગરથી અમદાવાદ વેપાર-ધંધા, નોકરી અને અભ્યાસ માટે આવનારા મુસાફરોને મોટી રાહત મળી જશે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vq3WAn
via IFTTT

Post a Comment

أحدث أقدم