અમદાવાદ શહેરમાં કોરોનાના 224 કેસ અને 4 લોકોનાં મોત


- દૈનિક કેસમાં ઘટાડાથી રાહત

- શહેરમાં એક જ દિવસમાં 840 દર્દીઓ સંક્રમણમુકત થતા ડિસ્ચાર્જ કરાયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.બુધવારે શહેરમાં કોરોનાના ૨૨૪ કેસ અને ચાર લોકોના મોત નોંધાયા છે.એક જ દિવસમાં ૮૪૦ દર્દીઓ સંક્રમણમુકત થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.સંક્રમણમાં ઘટાડાને પગલે શહેરીજનોમાં રાહત જોવા મળી રહી છે.

આ અંગે મળતી માહીતી મુજબ,બુધવારે શહેરમાં કોરોનાના ૨૨૪ કેસ નોંધાતા ગત માર્ચથી અત્યારસુધીમાં કુલ ૨,૨૮,૯૨૦ કેસ નોંધાયા છે.બુધવારે ૮૪૦ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરતા અત્યારસુધીમાં કુલ ૨,૨૧,૮૨૪ લોકો કોરોનામુકત થયા છે.બુધવારે કુલ ચાર લોકોના મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ ૩૨૫૮ લોકોના કોરોના સંક્રમિત થવાથી મરણ થવા પામ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yRALFT
via IFTTT

Post a Comment

Previous Post Next Post