
અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર
કોરોનાની મહામારી ઉપરાંત હવા-અવાજના પ્રદુષણને લઇને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના બધાય રાજ્યોને નોટિસ આપી ખુલાસો પૂછયો છે. આજે ઓનલાઇન સુનાવણી બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્યોને પ્રદુષિત શહેરોનો તાગ મેળવવા સૂચનો કર્યાં છે જેના પગલે સરકારે એનજીટીના આદેશનો અભ્યાસ કરી ફટાકડાં અંગે નિર્ણય કરવા નક્કી કર્યું છે.
દિવાળી નજીક છે ત્યારે હજુ ફટાકડાં ફોડવા દેવા નહીં તે મુદ્દે રાજ્ય સરકાર કોઇ નિર્ણય લઇ શકી નથી પણ ગૃહવિભાગે આદેશ કરીને રાત્રીના 8થી 10 વાગ્યા સુધી ફટાકડાં ફોડવા મંજૂરી આપી છે. આમ, મૂંઝવણભરી પરિસિૃથતીનું નિર્માણ થયુ છે.
હવા-અવાજના પ્રદુષણને લઇને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને નોટિસ આપી ખુલાસો પૂછયો હતો.આજે ઓનલાઇન સુનાવણી થઇ હતી જેમાં રાજ્યોને એવા દિશાનિર્દેશ આપવામાં આવ્યાં છેકે, પ્રદુષિત શહેરોમાં હવા-અવાજનું પ્રદુષણનો તાગ મેળવવામાં આવે. દિવાળીના દિવસોમાં ફટાકડાંને લીધે હવા વધુ પ્રદુષિત અને ઝેરીલી બને છે.
ખુદ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ આ વાતને સમર્થન આપતાં કહ્યુ હતુંકે, એનજીટીની નોટિસ બાદ રાજ્ય સરકારે અભ્યાસ શરૂ કર્યો છે.તમામ પાસાઓની ચર્ચા વિચારણાના અંતે આખરી નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, રાજસૃથાન, પશ્ચિમ બંગાળ , કર્ણાટક , દિલ્હીમાં ફટાકડાં પર પ્રતિબંધ લાદી દેવાયો છે. મોડી સાંજે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પણ કોઇ નિર્ણય લેવાયો ન હતો.
સૂત્રોના મતે, એનજીટીના સૂચન બાદ અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં હવા-અવાજના પ્રદુષણના આંક સાથેની વિગતો મેળવવામાં આવશે અને આખાય રિપોર્ટ સાથે એનજીટીમાં જવાબ રજૂ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દિલ્હીની સરખામણીમાં ગુજરાતમાં હવાનુ પ્રદુષણ ઓછુ છે તેવુ સાબિત કરી ફટાકડાં ફોડવાની છૂટ મળે તેની તરફેણમાં છે. આ જોતાં જ ગૃહવિભાગના પરિપત્ર બાદ પોલીસ કમિશનરો અને કલેક્ટરોએ ફટાકડાં ફોડવા અંગે પ્રતિબંધાત્મક આદેશો કર્યાં છે અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડાં ફોડવા છૂટ આપી છે. હવે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lfCY6x
via IFTTT
إرسال تعليق