
નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2020 રવિવાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ દિગ્ગજ નેતા જશવંત સિંહનું નિધન થઈ ગયુ છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુ:ખ વ્યક્ત કર્યુ છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે જશવંત સિંહને તેમની બૌદ્ધિક ક્ષમતાઓ અને દેશની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ દુ:ખના સમયમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના.
જશવંત સિંહ 1960માં સેનામાં મેજરના પદ પરથી રાજીનામુ આપીને રાજકારણના મેદાનમાં ઉતર્યા હતા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી રાજગ સરકારમાં તે પોતાના કરિયરના ઉચ્ચ સ્થાને હતા. 1998થી 2004 સુધી રાજગના શાસનકાળમાં જશવંત સિંહે નાણાં, રક્ષા અને વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કર્યુ.
જશવંત સિંહનુ રાજકીય કારકિર્દી કેટલાક ઉતાર ચઢાવથી પસાર થયા અને વિવાદોમાં રહ્યા. 1999માં એર ઈન્ડિયાના અપહરણ વિમાનના મુસાફરોને છોડાવવા માટે આતંકવાદીઓ રિપીટ આતંકવાદીઓ સાથે કંધાર જવા મામલે તેમની ઘણી ટીકા થઈ. રાજગ શાસન દરમિયાન જશવંત સિંહ હંમેશા અટલ બિહારી વાજપેયીના વિશ્વાસપાત્રની નજીક રહ્યા. તે બ્રજેશ મિશ્ર અને પ્રમોદ મહાજનની સાથે વાજપેયીની ટીમના મહત્વના સદસ્ય હતા.
બાદમાં 2009 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા અને ગોરખાલેન્ડ માટે સંઘર્ષ કરનારા સ્થાનિક દળની રજૂઆત પર દાર્જિલિંગથી ચૂંટણી લડ્યા અને જીત નોંધી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36crf4i
via IFTTT
Post a Comment